unfoldingWord 03 - જળપ્રલય

unfoldingWord 03 - જળપ્રલય

சுருக்கமான வருணனை: Genesis 6-8

உரையின் எண்: 1203

மொழி: Gujarati

கருப்பொருள்: Eternal life (Salvation); Living as a Christian (Obedience); Sin and Satan (Judgement)

சபையினர்: General

பகுப்பு: Bible Stories & Teac

செயல்நோக்கம்: Evangelism; Teaching

வேதாகம மேற்கோள்: Paraphrase

நிலை: Approved

இந்த விரிவுரைக்குறிப்பு பிறமொழிகளின் மொழிபெயர்ப்பிற்கும் மற்றும் பதிவு செய்வதற்கும் அடிப்படை வழிகாட்டி ஆகும். பல்வேறு கலாச்சாரங்களுக்கும் மொழிகளுக்கும் பொருத்தமானதாக ஒவ்வொரு பகுதியும் ஏற்ற விதத்தில் இது பயன்படுத்தப்படவேண்டும்.சில விதிமுறைகளுக்கும் கோட்பாடுகளுக்கும் ஒரு விரிவான விளக்கம் தேவைப்படலாம் அல்லது வேறுபட்ட கலாச்சாரங்களில் இவை தவிர்க்கப்படலாம்.

உரையின் எழுத்து வடிவம்

ઘણાં લાંબા સમય પછી લોકો જગતમાં જીવતા હતા.તેઓ ઘણા દુષ્ટ અને હિંસક બની ગયા હતા.તે એટલું ભૂંડુ હતું કે, ઈશ્વરે નિર્ણય કર્યો કે તે આખા જગતનો જળપ્રલય દ્વારા નાશ કરશે.

પરંતુ નૂહ ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો.તે દુષ્ટ લોકો મધ્યે જીવતો ન્યાયી માણસ હતો.ઈશ્વરે જે જળપ્રલય મોકલવા માંગતા હતા તે યોજના વિષે તેમણે નૂહને જણાવ્યું.તેમણે નૂહને એક મોટું વહાણ બનાવવાનું કહ્યું.

ઈશ્વરે નૂહને 140 મીટર લાંબુ, 23 મીટર પહોળું, 13.5 મીટર ઉંચુ વહાણ બનાવવાનું કહ્યું.નૂહને લાકડામાંથી બનાવવાનું કહેવામાં આવ્યું અને તેને ત્રણ માળ, ઘણા ઓરડા, છત અને બારીવાળું બનાવવાનું કહેવામાં આવ્યું.વહાણ જળપ્રલય દરમ્યાન નૂહ, તેનાં પરિવાર અને દરેક પ્રાણીઓને સુરક્ષિત રાખશે.

નૂહે ઈશ્વરની આજ્ઞા માનીતેણે અને તેના ત્રણ દીકરાઓએ ઈશ્વરે જે રીતે કહ્યું હતું તે જ રીતે વહાણ બાંધ્યું.આ વહાણ બનાવતા તેઓને ઘણા વર્ષો લાગ્યા કારણ કે તે ખૂબ જ મોટું હતું. નૂહે લોકોને આવનાર જળપ્રલયથી ચેતવ્યા, અને ઈશ્વર તરફ ફરવા જણાવ્યું. પરંતુ તેઓએ તેનું માન્યું નહિ.

ઈશ્વરે નૂહ અને તેના પરિવારને પોતાના માટે તેમજ પ્રાણીઓ માટે પુરતો ખોરાક એકઠો કરવાની આજ્ઞા આપી.જ્યારે સઘળું તૈયાર થઈ ગયું. ઈશ્વરે નૂહને કહ્યું કે સમય થઈ ગયો છે કે તું, તારી પત્ની, તારા ત્રણ દીકરાઓ અને તેમની ત્રણ પત્નીઓ વહાણમાં અંદર આવી જાય – બધા મળીને આઠ લોકો.

ઈશ્વરે દરેક પ્રાણીઓમાંથી અને પક્ષીઓમાંથી નર અને નારીને અને પક્ષીઓને નૂહ પાસે મોકલ્યા કે જેથી તેઓ વહાણમાં અંદર જાય અને જળપ્રલય દરમ્યાન સુરક્ષિત રહે.ઈશ્વરે બલિદાન માટે જેનો ઉપયોગ થઈ શકે એવા દરેક પ્રાણીઓમાંથી સાત નર અને સાત માદાને મોકલ્યા.જ્યારે તેઓ બધા વહાણમાં ચઢી ગયા ત્યારે ઈશ્વરે બારણું બંધ કર્યું.

ત્યારબાદ વરસાદ, વરસાદ અને બસ વરસાદ શરુ થયો.ચાળીસ દિવસ અને ચાળીસ રાત રોકાયા વગર વરસાદ પડ્યો.ભૂમિમાંથી પાણી નિકળવા લાગ્યું.આખું જગત અને તેમાંનું સર્વસ્વ પાણી વડે ઢંકાઈ ગયું, ત્યાં સુધી કે મોટા પહાડો પણ.

જે લોકો અને પ્રાણીઓ વહાણમાં હતા તે સિવાયનું જે કંઈ કોરી ભૂમિ પર હતું તે સર્વ નાશ પામ્યું.વહાણ પાણી પર તરવા લાગ્યું અને જે કંઈ તેમાં હતું તેને ડૂબતા બચાવ્યું.

વરસાદના પાણી બંધ પડ્યા પછી, વહાણ પાંચ મહિના સુધી તર્યું. અને આ સમય દરમ્યાન પાણીની નીચે ઉતરવાની શરુઆત થઈ.એક દિવસે વહાણ પહાડની ટોચ પર થંભ્યું, પરંતુ જગત હજુ પણ પાણીથી ભરેલું હતું. ત્રણ મહિના બાદ પર્વતોની ટોચ દેખાવા લાગી

ચાલીસ દહાડા પછી, નૂહે કાગડા નામના પક્ષીને બહાર મોકલ્યું, જેથી તે જાણી શકે કે પાણી સુકાઈ ગયા છે કે નહિ.કાગડો કોરી ભૂમિ માટે આમતેમ ઊડ્યો, પરંતુ તેને કોઈ સ્થાન મળ્યું નહિ.

ત્યારબાદ નૂહે કબૂતર નામના પક્ષીને મોકલ્યું.પરંતુ તેને પણ કોરી ભૂમિ મળી નહી તેથી તે નૂહ પાસે પાછું આવ્યું.એક અઠવાડિયા પછી તેણે કબૂતરને પાછું મોકલ્યું. અને તે જૈતુનનું પાંદડુ લઈને પાછું આવ્યું.પાણી ઓછું થવા લાગ્યું અને વનસ્પતિ પાછી ઉગવા લાગી.

નૂહે બીજુ એક અઠવાડીયું રાહ જોઈ અને કબૂતરને ત્રીજી વખત મોકલ્યું.આ વખતે, તેને આરામ કરવાની જગ્યા મળી અને તે પાછું આવ્યું નહિ.પાણી સુકાવા લાગ્યા.

બે મહિના બાદ ઈશ્વરે નૂહને કહ્યું, “ તું અને તારું પરિવાર તથા બધા જ પ્રાણીઓ વહાણ છોડીને જાઓ.તને ઘણા પુત્રો અને પૌત્રો થાઓ અને પૃથ્વીને ભરી દો. “માટે નૂહ અને તેનું પરિવાર વહાણમાંથી બહાર આવ્યા.

વહાણમાંથી બહાર આવ્યા બાદ, નૂહે વેદી બનાઈ અને દરેક પ્રકારના પ્રાણીઓ જેનો ઉપયોગ બલિદાન માટે કરી શકાતો હતો તેનું બલિદાન કર્યું.ઈશ્વર બલિદાનથી ખુશ થયા અને નૂહ તથા તેના પરિવારને આશીર્વાદ આપ્યો.

ઈશ્વરે કહ્યું “ હવે હું ક્યારેય લોકો જે દુષ્ટતા કરે છે તેના લીધે પૃથ્વીને શાપ નહી આપું, અથવા જળપ્રલયથી જગતનો નાશ નહી કરું. જો કે લોકો તેમના બાળપણથી જ પાપી છે. “

માટે ઈશ્વરે વચનના ચિહ્નના રુપમાં પ્રથમ મેઘધનુષ્ય બનાવ્યું.દરેક સમયે જ્યારે મેઘધનુષ્ય આકાશમાં દેખાય છે, ત્યારે ઈશ્વરે પોતે આપેલા વચનને યાદ કરે છે અને એજ રીતે તેના લોકો.

தொடர்புடைய தகவல்கள்

ஜீவனுள்ள வார்த்தைகள் - இரட்சிப்பை பற்றியும் கிறிஸ்தவ ஜீவியத்தை பற்றியும் GRN ஆயிரக்கணக்கான மொழிகளில் வேதாகம செய்திகளை ஆடியோவில் சுவிஷேச செய்திகளாக கொண்டுள்ளது.

இலவச பதிவிறக்கங்கள் - இங்கே நீங்கள் GRN இன் முதன்மையான செய்தி உரைகளை பற்பலமொழிகளில், படங்கள் இன்னும் தொடர்புடைய உபகரணங்களையும் பதிவிறக்கம் செய்ய கிடைக்கிறது.

GRN இன் ஆடியோ நூலகம் - சுவிஷேஷத்திற்கும் வேதாகம அடிப்படை போதனைகளுக்கும் தேவையான உபகரணப் பொருட்கள் மக்களின் தேவைக்கும் கலாச்சாரத்திற்கும் பாணிகளுக்கும் ஏற்ற விதத்தில் பல்வேறு வடிவமைப்புகளில் அமைந்துள்ளது.

Copyright and Licensing - GRN shares it's audio, video and written scripts under Creative Commons

Choosing the right audio or video format - What audio and video file formats are available from GRN, and which one is best to use?