unfoldingWord 25 - શેતાન વડે ઈસુનું પરીક્ષણ
![unfoldingWord 25 - શેતાન વડે ઈસુનું પરીક્ષણ](https://static.globalrecordings.net/300x200/z40_Mt_04_04.jpg)
रूपरेखा: Matthew 4:1-11; Mark 1:12-13; Luke 4:1-13
लिपि नम्बर: 1225
भाषा: Gujarati
दर्शक: General
विधा: Bible Stories & Teac
उद्देश्य: Evangelism; Teaching
बाइबल उद्धरण: Paraphrase
स्थिति: Approved
लिपिहरू अन्य भाषाहरूमा अनुवाद र रेकर्डिङका लागि आधारभूत दिशानिर्देशहरू हुन्। तिनीहरूलाई प्रत्येक फरक संस्कृति र भाषाको लागि बुझ्न योग्य र सान्दर्भिक बनाउन आवश्यक रूपमा अनुकूलित हुनुपर्छ। प्रयोग गरिएका केही सर्तहरू र अवधारणाहरूलाई थप व्याख्याको आवश्यकता हुन सक्छ वा पूर्ण रूपमा प्रतिस्थापन वा मेटाउन पनि सकिन्छ।
लिपि पाठ
![](https://static.globalrecordings.net/300x200/z40_Mt_04_01.jpg)
બાપ્તિસ્મા લીધા પછી પવિત્ર આત્મા ઈસુને રાનમાં લઇ ગયા જ્યાં તેમણે ચાળીસ દિવસ અને ચાળીસ રાત ઉપવાસ કર્યો.શેતાન ઈસુ પાસે આવ્યો અને તેઓ પાપ કરે માટે તેમનું પરીક્ષણ કર્યું.
![](https://static.globalrecordings.net/300x200/z40_Mt_04_02.jpg)
શેતાને ઈસુનું પરીક્ષણ કરતાં કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હોય, તો આ પથ્થરોને કહે કે તે રોટલી બની જાય જેથી તમે ખાઈ શકો છો!"
![](https://static.globalrecordings.net/300x200/z40_Mt_04_03.jpg)
ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના વચનમાં લખ્યું છે કે માણસ માત્ર રોટલીથી નહિ પરંતુ ઈશ્વરના મુખમાંથી નીકળતા દરેક વચનથી જીવે છે.
![](https://static.globalrecordings.net/300x200/z40_Mt_04_04.jpg)
પછી શેતાન ઈસુને મંદિરના સૌથી ઉચ્ચ સ્થળે લઈ ગયો, અને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હોય તો, નીચે કુદકો માર, કારણ કે લખ્યું છે કે, ‘ઈશ્વરે પોતાના દૂતોને આજ્ઞા આપશે તેમના હાથોમાં ઉઠાવી લેવા માટે જેથી તારા પગ પથ્થર પર અથડાશે નહિ.
![](https://static.globalrecordings.net/300x200/z40_Mt_04_05.jpg)
પરંતુ ઈસુએ શેતાનને પવિત્રશાસ્ત્રમાંથી અવતરણ આપતાં કહ્યું.તેમણે કહ્યું, ઈશ્વરે વચનમાં આજ્ઞા આપી હતી છે કે, તમારા પ્રભુ ઈશ્વરનુંપરીક્ષણ ન કરવું.
![](https://static.globalrecordings.net/300x200/z40_Mt_04_06.jpg)
પછી શેતાને ઈસુને પૃથ્વીના બધા રાજ્યો અને તેની ભવ્યતા બતાવી અને કહ્યું, તું પગે પડીને મારું ભજન કરીશ તો આ બધી વસ્તુઓ હું તને આપીશ.
![](https://static.globalrecordings.net/300x200/z40_Mt_04_07.jpg)
ઈસુએ જવાબ આપ્યો, જા શેતાન મારી પાસેથી ચાલ્યો!ઈશ્વરના વચનમાં તેમણે તેમના લોકોને આજ્ઞા આપી કે , પ્રભુ તારો ઈશ્વરનું ભજન કર અને તેમની સેવા કર.
![](https://static.globalrecordings.net/300x200/z40_Mt_04_08.jpg)
શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો કેમકે ઈસુ તેના પરીક્ષણોથી બદલાયા નહિદૂતોએ ઈસુ પાસે આવીને તેમની સંભાળ લીધી