unfoldingWord 10 - દસ મરકીઓ
အကြမ်းဖော်ပြချက်: Exodus 5-10
ဇာတ်ညွှန်းနံပါတ်: 1210
ဘာသာစကား: Gujarati
ပရိသတ်: General
အမျိုးအစား: Bible Stories & Teac
ရည်ရွယ်ချက်: Evangelism; Teaching
သမ္မာကျမ်းစာကိုးကားချက်: Paraphrase
အဆင့်အတန်း: Approved
ဇာတ်ညွှန်းများသည် အခြားဘာသာစကားများသို့ ပြန်ဆိုခြင်းနှင့် အသံသွင်းခြင်းအတွက် အခြေခံလမ်းညွှန်ချက်များ ဖြစ်သည်။ မတူကွဲပြားသောယဉ်ကျေးမှုနှင့် ဘာသာစကားတစ်ခုစီကို နားလည်မှုရှိစေနိုင်ရန်နှင့် ဆက်စပ်မှုရှိစေရန် ၎င်းတို့ကို လိုအပ်သည့်အတိုင်း ပြင်ဆင်သင့်သည်။ အသုံးပြုနေသည့် အချို့သောဝေါဟာရများနှင့်သဘောတရားများကို ပိုမို ရှင်းပြရန် လိုအပ်နိုင်သည်၊ သို့မဟုတ် အစားထိုးခြင်း သို့မဟုတ် လုံးလုံး ချန်လှပ်ထားနိုင်သည်။
ဇာတ်ညွှန်းစာသား
મૂસા અને હારુન ફારુન પાસે પહોચ્યા.તેઓએ કહ્યું, “ઈઝ્રાયલનો ઈશ્વર કહે છે કે, મારા લોકને જવા દે !” ફારુને તેઓનું સાભળ્યું નહીં.ઈઝ્રાયલીઓને મુક્ત કરવાને બદલે તેણે તેઓની પાસે વધારે ભારે મજૂરી કરાવી.
ફારુન લોકોને જવા દેવાનો નકાર કરતો રહ્યો માટે ઈશ્વરે મિસર પર દસ ભયંકર મરકીઓ મોકલી.આ મરકીઓ દ્વારા ઈશ્વર ફારુનને બતાવ્યું કે તે ફારુન કરતાં અને મિસરના બધા દેવતાઓ કરતાં વધારે શક્તિશાળી છે.
ઈશ્વરે નાઈલ નદીને લોહીમાં ફેરવી દીધી, પરંતુ ફારૂને હજુ પણ ઈઝ્રાયલીઓને જવા દીધા નહીં.
ઈશ્વરે આખા મિસર પર દેડકા મોકલ્યા.ફારૂને મૂસાને દેડકા દૂર કરવાની વિનંતી કરી.બધા દેડકાઓ મૃત્યુ પામ્યા પછી પણ ફારૂને પોતાનું હૃદય કઠણ કર્યું અને ઈઝ્રાયલીઓને મિસરમાંથી જવા દીધા નહીં.
માટે ઈશ્વરે જૂઓની મરકી મોકલી.ત્યારબાદ તેણે માખીઓની મરકી મોકલી.ફારૂને મૂસા અને હારૂનને બોલાવીને કહ્યું જો તેઓ આ મરકીઓ રોકશે તો તે ઈઝ્રાયલીઓને મિસરમાંથી જવા દેશે,જ્યારે મૂસાએ પ્રાર્થના કરી ત્યારે ઈશ્વરે મિસરમાંથી માખીઓ દૂર કરી.પરંતુ ફારૂને પોતાનું હૃદય હઠીલું કર્યું અને લોકોને જવા દીધા નહીં.
ત્યારબાદ, ઈશ્વરે મિસરીઓના બધા ઢોરઢાંકને માંદા પાડ્યા અને તેઓ મરવા લાગ્યા.પરંતુ ફારુનનું હૃદય હઠીલું બન્યું અને તેણે ઈઝ્રાયલીઓને જવા દીધા નહીં.
ત્યારે ઈશ્વરે મૂસાને ફારુન સામે હવામાં રાખ ઊડાડવાનું કહ્યું.જ્યારે તેણે તેવું કર્યું ત્યારે મિસરીઓ ઉપર દુ:ખદાયક ગુમડા ઉત્પન્ન થયા પણ ઈઝ્રાયલીઓને કંઈ થયું નહીં.ઈશ્વરે ફારુનનું હૃદય હઠીલું કર્યું અને ફારુને ઈઝ્રાયલીઓને જવા દીધા નહીં.
તે પછી, ઈશ્વરે કરા મોકલ્યા, જેથી મિસરની સઘળી ફસલ અને જે કોઈ બહાર નીકળ્યા તેનો નાશ કર્યો.ફારૂને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું કે “મેં પાપ કર્યું છે.તમે જઈ શકો છો.”માટે મૂસાએ પ્રાર્થના કરી અને આકાશમાંથી કરા વરસવાનું બંધ થયું.
પરંતુ ફારુને ફરીથી પાપ કર્યું અને પોતાનું હૃદય કઠણ કર્યું.તેણે ઈઝ્રાયલીઓને જવા દીધા નહીં.
માટે ઈશ્વરે મિસર ઉપર તીડ મોકલ્યા.કરાથી જે ફસલ બચી ગઈ હતી તે આ તીડો ખાઈ ગયા.
ત્યારબાદ ઈશ્વરે અંધકાર મોકલ્યો જે ત્રણ દિવસ સુધી રહ્યો.તે એટલો બધો અંધકાર હતો કે મિસરીઓ પોતાનું ઘર છોડી શક્યા નહીં.પરંતુ ઈઝ્રાયલીઓ જ્યાં રહેતા હતા ત્યાં અજવાળું હતું.
આ નવ મરકીઓ બાદ પણ, ફારુન હજુ પણ ઈઝ્રાયલીઓને મુક્ત કરવાને નકાર કરતો હતો.હજુ ફારુન સાંભળતો નહતો. એટલે ઈશ્વરે એક છેલ્લી મરકી મોકલવાની યોજના કરી.તે ફારુનનું મન બદલી નાંખશે.