unfoldingWord 47 - ફિલિપી નગરમાં પાઉલ અને સિલાસ
Esquema: Acts 16:11-40
Número de guió: 1247
Llenguatge: Gujarati
Públic: General
Propòsit: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
Estat: Approved
Els scripts són pautes bàsiques per a la traducció i l'enregistrament a altres idiomes. S'han d'adaptar segons sigui necessari perquè siguin comprensibles i rellevants per a cada cultura i llengua diferents. Alguns termes i conceptes utilitzats poden necessitar més explicació o fins i tot substituir-se o ometre completament.
Text del guió
જ્યારે શાઉલ સમગ્ર રોમન રાજ્યમાં મુસાફરી કરવા લાગ્યો ત્યારે તે પોતાના રોમન નામ “પાઉલ” નો ઉપયોગ કરવા લાગ્યો. એક દિવસે, પાઉલ અને તેનો મિત્ર સિલાસ ઈસુની સુવાર્તા પ્રચાર કરવા માટે ફિલિપી નગરમાં ગયા. એ શહેરની બહાર એક નદીની પાસે એક સ્થાન પર પહોંચ્યા. જ્યાં લોકો પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા.ત્યાં તેઓને લુદિયા નામની સ્ત્રી મળી જે એક વેપારી હતી. તે ઈશ્વરને પ્રેમ કરતી અને તેની આરાધના કરતી હતી.
ઈશ્વરે લુદિયાનું મન ખોલી દીધુ કારણકે તે ઈસુની સુવાર્તા પર વિશ્વાસ કરતી હતી અને તેણે અને તેના કુટુંબે બાપ્તિસ્મા લીધું. તેણે પાઉલ અને સિલાસને પોતાના ઘરે રહેવાનું આમંત્રણ આપ્યું. તેથી તેઓ તેણી અને તેનાં કુટુંબ સાથે રહ્યા.
પાઉલ અને સિલાસ મોટા ભાગે લોકોને પ્રાર્થનાના સ્થાન પર મળ્યાં કરતા હતા. દરરોજ જ્યારે તેઓ ત્યાં જતા હતા, દુષ્ટ આત્માથી પીડિત એક છોકરી તેમની પાછળ ફર્યા કરતી હતી. દુષ્ટ આત્મા દ્વારા તે લોકોને તેઓનું ભવિષ્ય બતાવ્યા કરતી હતી. તેથી તે એક ભવિષ્યવેતાના સ્વરૂપમાં પોતાના માલિકો માટે બહુ ધન કમાતી હતી.
જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે દાસી બૂમો પાડી રહી હતી, “આ માણસો સર્વોચ્ચ ઈશ્વરના સેવકો છે. તેઓ તમને ઉદ્ધાર પામવાનો માર્ગ બતાવી રહ્યા છે.”આ પ્રમાણે તે કર્યા કરતી તેથી પાઉલ નારાજ થઇ ગયો.
આખરે એક દિવસ દાસીએ બૂમો પાડવાનું શરૂ કર્યું, તો પાઉલે તેની અંદર રહેલા દુષ્ટ આત્માને કહ્યું, “ઈસુના નામમાં તેનામાંથી બહાર નીકળી આવ.”તે જ સમયે દુષ્ટ આત્માએ તેને છોડી દીધી.
તે છોકરીના માલિકો બહુ ક્રોધિત થયા. તેઓ સમજી ગયા કે દુષ્ટ આત્મા વગર છોકરી લોકોનું ભવિષ્ય બતાવી શકશે નહિતેનો અર્થ એ કે તે લોકોનું ભવિષ્ય બતાવશે નહી અને તેથી લોકો તેના માલીકોને પૈસા આપશે નહીં.
તેથી દાસીના માલિકો પાઉલ અને સિલાસને રોમન અધિકારીઓની પાસે લઈ ગયા. તેઓએ તેમને માર્યા અને બંદીખાનામાં પૂરી દીધા.
તેઓએ પાઉલ અને સિલાસને બંદીખાનાના ખૂબજ ગુપ્તસ્થાનમાં નાખ્યા, અને ત્યાં સુધી કે તેમનાં પગહેડમાં નાખી દીધા. તો પણ અડધી રાતે તેઓ ઈશ્વરની સ્તુતિના ભજન ગાઈ રહ્યાં હતાં.
અચાનક ત્યાં એક ભયંકર ભૂંકપ આવ્યો. જેલના બધા દરવાજા ખૂલી ગયા અને બધા બંદિવાનોની સાંકળો તૂટી.
દ્વારપાળ જાગી ગયો. અને જ્યારે તેણે જોયું કે જેલના દરવાજા ખુલ્લા છે તો તે અત્યંત ભયભીત થયો. તેણે વિચાર્યું કે બધા કેદી બચીને ભાગી ગયા છે. તેથી તેણે પોતાને મારી નાખવાની યોજના બનાવી. (એ જાણતો હતો કે કેદીઓ ભાગી જશે તો રોમન અધિકારીઓ તેને મારી નાખશે.) પરંતુ પાઉલે તેને જોયો અને બૂમ પાડી, “થોભી જા! પોતાને ઘાયલ ન કર! અમે બધા અહીં છીએ.”.
દ્વારપાળ કાંપતો પાઉલ અને સિલાસની પાસે આવ્યો, અને પૂછ્યું “ઉદ્ધાર પામવા માટે હું શું કરું?” પાઉલે ઉત્તર આપ્યો, “જો તું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીશ તો તું અને તારા ઘરના ઉદ્ધાર પામશો.”ત્યારે દ્વારપાળ પાઉલ અને સિલાસને પોતાના ઘરે લઈ ગયો અને તેના ઘાવ ધોયા. પાઉલે દ્વારપાળના ઘરના બધા લોકોને ઈસુની સુવાર્તા સંભળાવી.
દ્વારપાળે અને તેના પૂરા પરિવારે ઈસુ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા લીધું. ત્યારે દ્વારપાળે પાઉલ અને સિલાસને ભોજન આપ્યું અને સાથે મળીને આનંદ કર્યો.
બીજા દિવસે નગરના અધિકારીઓએ પાઉલ અને સિલાસને છોડી દીધા અને તેઓને આજ્ઞા આપી કે તમે ફિલિપીને છોડી દો. પાઉલ અને સિલાસ લુદિયા અને કેટલાંક અન્યમિત્રોની મુલાકાત પછી તેઓએ શહેર છોડી દીધું. ઈસુની સુવાર્તા ફેલાતી ગઈ. અને ખ્રિસ્તી સમુદાય વધતી ગઈ.
પાઉલ અને અન્ય ખ્રિસ્તી આગેવાનોએ ઇસુ વિષે સુવાર્તા પ્રચાર કરવા અને શિક્ષણ આપવા ઘણા શહેરોની યાત્રાઓ કરી. તેઓએ મંડળીના વિશ્વાસીઓને ઉત્તેજન આપવા અને સુવાર્તા પ્રચાર કરવા માટે ઘણા પત્રો લખ્યા. તેમાથી કેટલાક પત્રો બાઇબલના પુસ્તકો બની ગયા.
